આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
૪૯
शिक्षापत्री
અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદવિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (૧૩૨) આચાર્યપત્નીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૩૩-૧૩૪)
અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બન્નેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો (૧૩૩)
અને વળી તે બે જણની પત્નિઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનુ મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા (૧૩૪)