પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
૫૧
शिक्षापत्री

અને તે ગૃહસ્‍થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્‍યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું (૧૩૮)

અને અમારા આશ્રિત જે ગૃહસ્‍થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્‍ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે