આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
૬૦
शिक्षापत्री
પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ર્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. (૧૬૧)
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. (૧૬૨)
હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણભગવાનને સેવવા અને પોતાના