પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
૬૨
शिक्षापत्री

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું (૧૬૬)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે કર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું (૧૬૭)

અને વિધવા સ્‍ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સુવું અને મૈથુનાસકત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવા નહિ. (૧૬૮)