પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
૬૬
शिक्षापत्री

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્‍ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્‍પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીની પ્રતિમા ન કરવી અને સ્‍ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્‍ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા ને પશુપકક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવાં નહિ (૧૭૮)

અને સ્‍ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્‍ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯)