પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
૭૧
शिक्षापत्री

અને તે સાધુ તેમણે આપત્‍કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્‍કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. (૧૯૧)

અને જે વસ્‍ત્ર બહુ મૂલ્‍યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાત્‍યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુસાલા હોય ને તે જો બીજાની ઇચ્‍છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્‍ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (૧૯૨)

અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્‍થના ઘર પ્રત્‍યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્‍યર્થ કાળ નિગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિગમવો (૧૯૩)