આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
૭૫
शिक्षापत्री
ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨) ઉપસંહાર(શ્ર્લોક ૨૦૩-૨૧૨)
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)
અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જેતે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪)