પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
૭૬
शिक्षापत्री

એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્‍ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્‍ત્રી પુરુષ તેમણે જાણવું (ર૦૭)