આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વગર તલવારે ઘા
સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી !
હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા .
પાટણનો દૂત પવનવેગી સાંઢણી પર ચઢીને આવ્યો; સમાચાર લાવ્યો.
સમાચાર તે કેવા ?
અંગારાની પથારી પર પગ મુકાઈ જાય, અને માણસ ચીસ પાડી ઊઠે એવા !
સિદ્ધરાજ ત્રિવેણીમાં નાહતો હતો, એ ત્યાં જ ઊભો રહી ગયો. એના અંગઅંગમાં જાણે લાય લાગી. ત્રિવેણીનાં પાણી પણ એ લાય શાંત ન કરી શક્યાં !
ચંદનનાં કચોળાં એમ ને એમ રહી ગયાં !
પુરોહિતો આશિષવચન બોલતા હતા. રાજાએ તેઓને ચૂપ રહેવા ઇશારો કર્યો.
વગર તલવારે ઘા ᠅ ૭૧