આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪:સ્નેહસૃષ્ટિ
 


‘શ્રીલતા ?… હજી તું એને બોલાવ્યા કરે છે ?’

‘કેમ નહિ ? આખા નાટકનો ભાર એના ઉપર જ છે.’

‘કયું નાટક ?’

‘તું કેમ વારંવાર ભૂલી જાય છે ?… આપણે ગ્રામજીવન અને નગરજીવન વિષે નાટક ગોઠવીએ છીએ. એ જ !’

‘એ પછી તું શ્રીલતાનો સાથ છોડી દે.’

‘તારી આજ્ઞા છે ?’

‘જે કહેવું હોય તે… મને એ છોકરી ગમતી નથી… જુઠ્ઠી !… ગળેપડુ !’

‘એ તો આવી પહોંચી પણ ખરી.’

અને બારણું ખોલી શ્રીલતાએ જ્યોત્સ્નાના ખંડમાં પ્રવેશ કર્યો. શ્રીલતાની આંખમાંથી અંગાર ખર્યા.