આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪:સ્નેહસૃષ્ટિ
‘શ્રીલતા ?… હજી તું એને બોલાવ્યા કરે છે ?’
‘કેમ નહિ ? આખા નાટકનો ભાર એના ઉપર જ છે.’
‘કયું નાટક ?’
‘તું કેમ વારંવાર ભૂલી જાય છે ?… આપણે ગ્રામજીવન અને નગરજીવન વિષે નાટક ગોઠવીએ છીએ. એ જ !’
‘એ પછી તું શ્રીલતાનો સાથ છોડી દે.’
‘તારી આજ્ઞા છે ?’
‘જે કહેવું હોય તે… મને એ છોકરી ગમતી નથી… જુઠ્ઠી !… ગળેપડુ !’
‘એ તો આવી પહોંચી પણ ખરી.’
અને બારણું ખોલી શ્રીલતાએ જ્યોત્સ્નાના ખંડમાં પ્રવેશ કર્યો. શ્રીલતાની આંખમાંથી અંગાર ખર્યા.