આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારીઃ ૨૬૭
 

ભૂલતી જાય છે.

‘એટલે… પ્રભુ એમ ન કરે… છતાં… ધારો કે તારી સાથે પરણનારીનો આવરદા જ ટૂંકો હોય તો ?… પછી તને કોણ પૂછે ? રાવબહાદુર તો નહિ જ ને ?’ પિતાએ કહ્યું. અને મધુકર સરખો કદી ન ચમકે એવો ધીર હૃદયી યુવાન પણ પિતાની દીર્ઘદૃષ્ટિથી ચમકી ઊઠ્યો.