આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪:સ્નેહસૃષ્ટિ
 

‘જ્યોત્સ્ના ! હું હૃદયહીન છું. નહિ ? મારી હા થાય ત્યાં સુધી તો...કદાચ આપણો આ જન્મ વતી પણ જાય ! ત્યાં સુધી તારે રાહ જોવી પડે !’ સુરેન્દ્રે દર્દભર્યાં કંઠે કહ્યું.

‘તેની હરકત નહિ; રાહને માટે તું ચિંતા ન કર. પરંતુ તને શું હજી એવી નિરાશા છે કે મારા અને તારા જીવતાં તારું પણ પૂર્ણ નહિ થાય ?’ જ્યોત્સ્નાએ કંઠમાં જરા પણ દર્દ લાવ્યા સિવાય ઉત્તેજક કંઠે કહ્યું.

‘ઉમંગ છે. હોંશ છે. આશા છે કે એક રાતમાં, એક દિવસમાં એક વર્ષમાં મારું પણ સફળ કરું પરંતુ બીજી પાસ એવડી અને એવડી નિરાશ પણ છે. મારું આખું જીવન વીતી જાય છતાં એ લીધેલું પણ પૂર્ણ ન પણ થાય !’ સુરેન્દ્રે ગંભીરતાથી શબ્દોચ્ચાર કર્યો.

‘તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય પછી તું લગ્ન કરી શકીશ કે નહિ?’

‘જરૂર.’

‘અને તે કોની સાથે ?’

‘જવા દે એ સ્વપ્ન, જ્યોત્સ્ના ? અશક્ય સ્વપ્નને ક્યાં ખુલ્લું કરવું?’ સુરેન્દ્રે કહ્યું.

‘જો સુરેન્દ્ર ! મેં તને મારું સ્વપ્ન કહી સંભળાવ્યું છે ! તેં તે અશક્ય બનાવ્યું. તારું સ્વપ્ન મને કહી સંભળાવીશ તો કદાચ એ અશક્ય સ્વપ્ન હું જ શક્ય કરી શકીશ.’ જ્યોત્સ્ના બોલી.

‘જ્યોત્સ્ના ! તારા અભિમાને પણ તને અહીં આવતાં અટકાવવી જોઈતી હતી. હું તારી સહાનુભૂતિને લાયક ક્યાં રહ્યો છું?’ સુરેન્દ્રે થડકાતે કંઠે કહ્યું.

‘હવે મારા અભિમાનની વાત જવા દે અને મને કહે...’

‘શું કહું તને, જ્યોત્સ્ના ? શબ્દો ખૂટ્યા છે.’

‘છતાંય મને કહે તો ખરો કે તું પરણે તો કોને પરણે ? આથી વધારે સ્પષ્ટ પ્રશ્ન તો ન જ હોય ને ?’ જ્યોત્સ્ના બોલી.

‘કદી કહ્યું નથી... કહેવા ધાર્યું નથી તે આજે તારે મારી પાસે કહેવરાવવું છે ? તો સાંભળ... પ્રતિજ્ઞા પૂર્ણ થાય... અને ત્યાં સુધી તારું લગ્ન થયું ન હોય... તો તારી સાથે જ લગ્ન કરીશ.’

‘એટલું બસ છે. એ મુદત સુધી મારું લગ્ન નહિ થયું હોય એમ ખાતરી રાખજે. પરંતુ તું કહે તો ખરો કે તારી પ્રતિજ્ઞા પૂર્ણ ક્યારે થશે ?’

‘એ પ્રતિજ્ઞા ત્યારે પૂર્ણ થશે કે જ્યારે માનવવિશ્વ ગરીબીના નાશનો