પુરબીયો ઠાકોર તો મોતીમાર હતો. એણે બેધડક બંદુક
ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શંકર
જમાદાર, તમે બ્હીના નહિ ? મારી ગાળી આડી જાત તો ?"
શકરે જવાબ દીધો : “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી છાતી જામેલ હોય નહિ, ઠાકોર!"
દેવાને કહી દ્યો કે મને મોઢું ન દેખાડે.”
ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચીંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામે સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફકત બુઢ્ઢો રાણાજી માણેક હતો એણે હળવેથી નીચે જઈને કહ્યું:
“ભા ! તું ડાહ્યો છે. પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને બાપા ?”
“રાણાજી ભા ! દેવાને જીવતો જાવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઉલ્ટી ઢીલ થઈ લેખાશે. પણ શું કરૂં ! આજ બેન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.”
“બચ્ચા ! આવડો બધો વાંક ?"
“વાંકની તો અવધિ આવી રહી. મને હવે ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખમાં દીવડા ઓલવાતા જોઉ છું. ઓખો આપણું સમશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થુ! થુ ! કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.”
એ ને એ વખતે દેવા માણેકે પોતાનાં ઘોડાં ને પેદલ માણસો નોખાં પાડ્યાં. જાતો જાતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મુળવો મર હવે ઓખો જીતી લ્યે !”
“હે કૂતા !” એટલું જ બોલીને મુળુ બેઠો રહ્યો.