આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સોરઠી બહારવટીયા:૨
 

૧૦

"કાંઈ શિકાર ?”

“શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો ! આકડે મધ અને માખીયુ વિનાનું."

“કોણ ?”

“ભાવનગરનાં રાણી નાનીબા.”

“ક્યાં ?”

“દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંહને ઘેરેઃ ભેળા કુંવ૨ડા છે; ભેળી ઘરેણાંની પેટી છે, અને સાથે અસવાર છે થોડા."

“ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”

  • [૧]આકડીયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના

ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગજીનાં રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમમાં દડવાને


  1. *કોઈ કહે છે રાઘો ચાવડો નહિ, પણ સરંભડાનો કાઠી મેરામતોતળો લુંટવા આવેલો.