આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સોરઠી બહારવટીયા:૨
 


[જોટાદાર કમાડ જેવો જોગીદાસ ! મીતીઆળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાયે ન થડક્યો.]

કરડ્યે કાંઉ થીયે, પરડોતરાં પ્રજરાણ !
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસીઆ !

[બીજાં નાનાં સાપોલીયાં ડસે તેનાથી તો શું થવાનું હતું ? પણ ભાવેણાના નાથને તારા જેવા માટે ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]

જોગા ! જુલમ ન થાત, ઘણુ મૂલા હાદલ ઘરે
(તે તે) કાઠી કીં કે'વાત, સામી વડય સૂબા તણું !

[હે જોગીદાસ ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડીયો ક્યાંથી લેખાયો હોત ?] અને ચારણે એ છેલ્લી શગ ચડાવી :


ધૂવ ચળે, મેરૂ ડગે, મહદધ મેલે માણ
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ !

[ધ્રૂવ તારા ચલાયમાન થાય, મેરૂનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે, તો પણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જતી કરે ?]

બહારવટીયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટીયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતા નથી. બહારવટીયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલને રાજવિસ્તાર નાનકડો લાગ્યો.

જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહાવટીયાના ખુદના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને