આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સોરઠી સંતો
 

 
આગુના અગવા લાવ્ય
બાળુડા ! આગુના અગવા લાવ્ય રે;
હો તારાં ભગવાં નિશાણ ભેળાં લાવ્ય
ગરનારી ! એવે એંધાણે આવ્યા ઓળખો - વનરામાં૦

ગરવાંહુંદાં યે તારાં ગામ
બાળુડા ! ગરવાંહુંદાં યે તારાં ગામ રે;
હો તારો થાને ને થોકે વાસ
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા એાળખો - વનરામાં૦

વેલાનો ચેલો રામ ગાય
બાળુડા ! વેલાનો ચેલો રામ ગાય છે;
હો ધણી ! શરણે આવ્યાને ઉગાર
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા ઓળખો !

કલ્પનાના વિહાર છોડીને થોડીવાર રામૈયો જાણે કે જીવનના તત્ત્વજ્ઞાન ઉપર ઉતરે છે. કાયા રૂપી શહેરનો વેપાર કરતાં જાણે કે પોતાને આવડતું નથી. મનુષ્યાવતાર જેવી મહામૂલી વસ્તુ મોહ રૂપી રેતીમાં વેરાઇ જાય છે :

 
દયા રે કરો ને ગરૂ મેરૂં કરો
મારા રૂદયા હૈ ભીતર જાણો વેલા ધણી !

મનખા જેવડું મહા પદારથ
વેળુમાં રે વેરાણું વેલા રે ધણી !

ચારે કોરથી વેપારી આવ્યા
(ઈ તો) વેપાર કરી નવ જાણે વેલા ધણી !