માણસેને ડાર્યા છે, ને પોતાનાં વર્ચસ્વ સ્થાપ્યાં છે. સહજાનંદ ત્યાગમય હતા, છતાં ઘણા મોટા અને જડ, પાખંડી સમુદાય પર પોતાનું પરિબલ પાથરવા માટે એણે ચમત્કારો બતાવ્યા.
આ સોરઠી સંત મંડલની અંદર પણ ત્યાગ અને યોગ ઉભયનું મિશ્રણ આપણી નજરે ચડે છે. ખરેખરા વૈરાગ્યમાં ગળી જઇ પ્રભુઇચ્છાને માર્ગે પોતાનું શુદ્ધ સમર્પણ કરી દેનારા નિર્વિકારી જીતેન્દ્રિયો તમામ તો એ નહિ જ હોય. પોતાની ઇચ્છાશક્તિને – Will powerને – હિંસક પણ બની જાય એટલી હદ સુધી કેટલાકોએ કેળવી હશે. એટલું પોતાનામાં પ્રભુત્વ – ઇશ્વરી તત્ત્વ વસેલું હોવાનો કદાચ પોતાને જ એ ભ્રમ હશે. જન્મથી જ અથવા તે કહો કે પૂર્વજન્મથી જ ઇચ્છા શક્તિના – will forceના અથવા soul forceના એવા બળીયા મનુષ્યોનું અસ્તિત્વ માનવું કઠિન નથી એ માની શકાય એવી વાત છે. એમાં આત્મશ્રદ્ધા ને પ્રભુશ્રદ્ધા બન્નેની શક્તિ કામ કરી રહી હોય છે. એ શક્તિની વ્યવસ્થિત કેળવણી તેએાને કદાચ ન યે આવડી હોય. એ કેળવણી કુદરતી રીતે જ થઈ ગઈ હોય, અને પોતે એ શક્તિની પ્રાપ્તિને ઇશ્વરી પ્રસાદ રૂપ જ સમજી લીધી હોય. આ દેહે અને ચાહે તે કોઇ માનવીને માટે એ સાધ્ય છે તેવું તેઓ ન યે માનતા હોય. અને આવા અજ્ઞાનને પ્રતાપે જ કદાચ તેઓએ પોતાની સિદ્ધિએાનો સ્ફોટ જગતની સન્મુખ નહિ કર્યો હોય.
એટલે જ આ ચરિત્રોમાં કેટલાક ચમત્કારો ચાહીને અમુક કાજ સાધવા માટે બુદ્ધિપૂર્વક અજમાવેલા લાગે છે, કેટલાકમાં ચમત્કારનો અંશ એાછો અને ઇચ્છાશક્તિ, કરૂણા ભાવના તથા કાંઇક વિજ્ઞાનતત્વ, એ ત્રણેનો અંશ અધિક છે. દૃષ્ટાંત તરીકે દાના ભગતે કણબીની દીકરીનાં માથું ચાટી લઈને ઉંદરીનો વ્યાધિ મટાડ્યો, એ ઘટનામાં કશી અપ્રાપ્ય ને ઈશ્વરી સિદ્ધિનું આરોપણ કરવાની જરૂર નથી. એક તો થૂંક પોતે જ સામાન્ય રીતે અકસીર ઔષધિનાં તત્વો ધરાવનાર વસ્તુ છે. તેની અંદર એ ચાટનાર પુરૂષની અનંત કરૂણા રેડાણી. અખૂટ પ્રભુશ્રદ્ધા પણ