આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

જાહેરાત કર્યા પછી ઘણે લાંબે ગાળે આ “સંતો”ની જીવનકથાઓ હાથમાં લઈ શકાય છે. વાંચનારાં ભાઈઓ બહેનોની સહાય હશે તો હવે પછીના ખંડો આટલા વિલંબને આધીન બની નહિ પડ્યા રહે એની ખાત્રી આપુ છું. હજુ આવા બીજા ચારેક ખંડ થશે.

આ વૃત્તાંતોમાં વર્ણવાએલા પરચાઓની સામે ઘણા વાચકોને કદાચ મનદુ:ખ થશે એમ માનું છું. એ પરચાને લગતી મારી જે વિચારણા તેમજ જે ફરજ મેં પ્રવેશકમાં સમજાવી છે, તે વાંચી ગયા પછી જ વૃત્તાંતોમાં ઉતરવાની સર્વેને મારી વિનતિ છે,