મચ્છ' મહાજળ હોય, કિયે અવગુણે કાઢિયો ? છલકી છેહ થિયો ? (કે) સાયરે* સંઘર્યો નહિ ? [54] [હે મચ્છ ! તારો વાસ તો ઊંડા જળમાં હોય. તને સમુદ્રે કયે દોપે કાઢ્યો ? શું તું તારી જાતે જ છલકાઈને બહાર નીકળી ગયો ? કે તને સમુદ્રે સંઘર્યો નહીં ?] જાણે મચ્છ જવાબ આપે છેઃ
ગઈ વીળ્ય વળે, વીળ્યે વળાણું નહિ, સોનાની* સંગતે, હાલી ઘટ હળવું થીયું. [55] [હે હલામણ ! હું મોટું માછલું પણ નાના માછલાની સંગત કરીને નીચી ભૂમિકા પર ઊતર્યું. એ નાનાંની સંગે સંગે હું પણ ભરતીની વેળ્યમાં કિનાર તરફ ચાલ્યું આવ્યું. પછી વેળ્ય પાછી વળી ત્યારે એ નાનાં તો મને છોડીને ચાલ્યાં ગયાં. પણ મારો દેહ મોટો હોવાને કારણે મારાથી કિનારા પર ખસી ન શકાયું. હું છીછરા જળમાં પડી રહ્યું.]
હાં રે કુવર હલામણા ! દશાના ફરતા ઘાટ,” (તું) ઊથલ્યો આભપરા ધણી ! (તો) માછલડું કોણ માત્ર ! [56] [હે કુંવર હલામણ ! એ તો બધા દશાના પલટતા ઘાટ છે. તારા જેવો આભપચ ડુંગરનો ધણી ઊથલી પડ્યો, તો હું માછલું શી વિસાતમાં ?] હલામણ દિલાસો ધરે છેઃ
- રામ સમા બાણાવળી, સીતા સમાં સતી,
એને વન વસવું પડ્યું, (તો) મારી કોણ ગતિ ! 571 કાંઠે માછલાં પકડનારા માછીને હલામણ કહે છેઃ
1
પાઠાન્તર : મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે આવિયો ? એવા સાયર ન્હોય, મર કેતા અવગુણ કરે.
- પાઠાન્તર : રીજ્ાયલે રાખ્યો નહિ.
3 તેળ્ય.
- નાનાં માછલાં.
પાઠાન્તરઃ પંડે પોશીતા પાગ.
સોરઠી ગીતકથાઓ 425