આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૩)
પ્રેમકોર : છોકરાં તો મારે થતાં, પણ જીવતાં નહિ; માટે છોકરાંની ખોટ ખરી, ને નાનપણમાં મારે એમની સાથે ઝાઝું બનતું નહિ, એટલે મારા ઉપર સોક્ય લાવ્યા.

(સોક્ય એટલે ધણીની બીજી ઓરત)

મંછી : તમારી સોક્યને ને તમારે બને છે ?
પ્રેમકોર : બને તો એવું જ તો; સોક્યોને કોઈને બન્યું છે તે બને ?
હરકોર : તમારે સોક્ય આવ્યા પછી ઝવેરચંદ આવ્યા કે ?
પ્રેમકોર : અરે મા, પથરા એટલા દેવ કર્યા, ત્યારે ઝવેરચંદનું મોં દીઠું છે.

(મતલબ કે દુનિયામાં જેટલા પથરાનો હિસાબ છે એટાલા દેવોની માનતા કરી હતી.)

મંછી : હા બાઈ હા, દીકરા તો દેવને દુર્લભ છે, દીકરા કેને ઘેર છે?
હરકોર : એવું છે કે જ્યાં ખાવા પીવા નહિ હોય , ત્યાં નરાં છોકરાં હશે. ને ખાવાપીવાનું સુખ હશે, ત્યાં એક દીકરીયે નહિ હોય.

(ગૂજરાતમાં એવું બહુ છે કે મજૂર લોકોને છોકરાં પણ ઘણાં હોય છે. ને પૈસાદાર નથી હોતાં)

મંછી : મારે આ એક દીકરો તારાચંદ છે, તે સારૂ કેટલીક બાધાઓ રાખેલી છે. અંબાજીએ જઈને માથાના વાઅ ઉતરાવ્યા, તાબુતની વખતમાં ફકીર કરીએ છીએ, જમીયલાશાપીરને મલીદો કર્યો, એવી એવી હજાર બાધાઓ રાખી પણ હરરોજ માંદો ને માંદો રહે છે.