આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૫)
મંછી : (નવલને પૂછે છે) મલુકચંદ કેટલા વરાસનો થયો?
નવલવહુ : વરસ તો મને ગણતાં આવડતાં નથી, પણ એટલું સાંભરે છે કે ટીડ આવ્યાં હતાં, એ વરસે મલુકચંદ પેટમાં હતો.
પ્રેમકોર : ત્યારે દશ વરસનો થયો હશે.
નવલ : (હરકોરને પૂછે છે) તમારો દીકરો જીવતો હોય તો આજ કેવડો હોય?
હરકોર : અરે બાઈ, મોટો બધો હોય, મારી કાકી મરી ગયાં ત્યારે તે છ મહિનાનો હતો.
પ્રેમકોર : અરે મા, કાંઈ દીકરા આવે રાચ્યાં ? શીળી, તાવ, ઓરી , અછબડા હજાર હજાર રોગ છે, તેમાંથી ઉગરે ત્યારે ખરૂં.

(એટલે ભરૂંસાથી ખુશી ન થવું)

મંછી : નવલ વહુનું શરીર કેમ પીળું લાગે છે ?
પ્રેમકોર : એમનું શરીર કસુવાવડને રોગે એવું થઈ ગયું છે.
મંછી : અરરર, કસુવાવડ તો બહુ વસમી; કહેવત છે કે " સો સુવાવડ, ને એક કસુવાવડ."
પ્રેમકોર : તમારી આંખ્યો કેમ રાતી છે ?
મંછી : મારી આંખ્યો દુખવા આવી છે.
પ્રેમકોર : આંખ્યોનું દરદ તો બહુ વસમું છે.
પ્રેમકોર : ઝવેરચંદ છ વરસ થઆં આંખ્યો દુખે છે, કંઈ કંઈ ઓસડ કર્યો પણ ફેર પડતો નથી.
હરકોર : કાંઈ ઘરનું બાહરનું હોય, માટે કોઈ જાણતું હોય