આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૨)
છે, તે મારે એનું સ્નાન આવે.
(કોઈ સગો ગુજરી ગયો હોય એવું સાંભળવાથી અભડાય છે.) | |
પટેલ : | અરે રામ, રામ, મને શી ખબર કે તમારે કાકો થતો હશે ? હવે તો તમે અભડાયાં. |
પ્રેમકોર : | ઓ ઝવેરચંદ, તમારે પણ સ્નાન કરવું પડશે. |
ઝવેરચંદ : | કોણ મરી ગયું ? |
પ્રેમકોર : | લૂગડાં ઉતારો એટલે કહું.
(જ્યારે કોઈને ગુજરી ગયાનું કહેવું હોય, ત્યારે પ્રથમ લૂગડાં ઉતરાવીને કહે છે, કારણ કે તે લૂગડાં ધોવાં ન પડે.) |
ઝવેરવંદ : | મારા બાપ તરફનું છે કે તમારી તરફનું છે ?
(મતલબ કે બાપના સગાનું છે કે માના પીયરના સગાનું છે.) |
પ્રેમકોર : | મારા પીયરની તરફનું છે. |
ઝવેરચંદ : | કોઈ ઘરડું બુઢું છે, બાળતાલનું છે, કે જુવાન મરી ગયું છે ?
(ઘરડાનું તથા બાળતાલનું મરણ ઝાઝી દીલગીરીનું ન હોય.) |
પ્રેમકોર : | છે તો ઘરડાબુઢાનું. |
ઝવેરચંદ : | કાણ માંડવી પડે એવું છે કે ?
(નજીકનું સગું હોય તો કાણ માંડવી પડે. કાણ એટલે સઉ સગાંવહાલાં ભેળાં થઈને રોતાં |