આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૩)
રોતાં નદીયે નાહાવા જાય છે તે.) | |
પ્રેમકોર : | ના, ના, એવાંની કેટલાંએકની કાણ્યો માંડીયે ? ઝાઝાં સગાં તે મહિનામાં બે ત્રણ કાણ્યો માંડવી પડે છે. |
હીરાચંદ : | મારે સ્નાન આવે એવું છે કે ?
(સ્ત્રીનું નજદીકનું સગું હોય તો ધણીને સ્નાન આવે નહીં તો ના આવે.) |
પ્રેમકોર : | જાણ્યામાં તો તમારે તો નહીં આવતું હોય; ને ઝવેરચંદને આવે. |
હીરાચંદ : | ઝવેરચંદ તું વેગળો જા. એટલે મને કહેશે.
(કારણ કે ઝવેરચંદ સાંભળે તો અભડાય.) (ઝવેરચંદ વેગળે ગયો.) |
પ્રેમકોર : | મારો પીતરાઈ કાકો મોતીચંદ ગુજરી ગયો. |
હીરાચંદ : | ઓહો, એમાં તે શું. એ તો તારા બાપની દશમી પેહેડીએ હશે, તેનું સ્નાન ઝવેરચંદને તે શેનું આવે ? એ તો તારે જ આવે, માટે તું અભડાઈ, તે હવે નાહી લે. |
પ્રેમકોર : | ઓ નવલવહુ, પાણી લાવો, ને ખાળે મેલો, હું નાહી લેઉ. |
નવલવહુ : | લ્યો, આ પાણી નાહી લ્યો. |
પ્રેમકોર : | વહુ, જુઓ મારૂં શરીર ક્યાંઈ કોરૂં રહ્યું છે ?
(શરીર બધું ભીજાયું નહોય તો, જેને અડકે તે અભડાય.) |
નવલવહુ : | ના કોરૂં તો નથી રહ્યું. પણ તમે થોડુંક રૂવો તો ખરાં, રોયા વિના સ્નાન વળે નહીં.
(લોકો કહે છે કે રોયા વિના સ્નાન વળે નહીં. |