આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૪)
કોઈ સ્ત્રીની શોક્ય મરી જાય, ત્યારે તે સ્ત્રી ઘણી ખુશી થાય. પણ તેનું સ્નાન કરતાં રોવું જોઈએ ખરૂં.) | |
પ્રેમકોર : | હા. એ તો ખરૂં. પણ મને એકલાં રોતાં શરમ લાગે છે.
(નહાવાનું મરણું હોય, ત્યારે ઝાઝાં ભેળાં થઈને રૂવે) |
નવલવહુ : | એમાં શેની શરમ, સ્નાન કરવું તે રોયા વિના ચાલે નહીં. |
પ્રેમકોર : | પછી રોવા માંડ્યું.
(તે નીચે પ્રમાણે) "મારા ભાગ્વાન બાપરે, તમે તો વખત પહોંચે વહી ગયા." (બાઈડીયો પારકે ઘેર મ્હોવાળવા જાય ત્યારે પણ પોતાનું વહાલું સગું કોઈ મરી ગએલું હોય, તેને સંભારીને રૂવે છે, કારણ કે આંખ્યોમાં આંસુ તે વિના આવે નહીં.) |
નવલવહુ : | લ્યો હવે છાનાં રહો થયું. (પછે છાની રહી.) |
હીરાચંદ : | હવે તારા કાકાનું સ્નાન કર્યું તેનો શોગ પાળીશ નહીં ? (શોગ પાળે તે નાતમાં જમવા ન જાય, કસુંબલ લૂગડાં ન પહેરે, ગોળ, ખાંડ, સાકર, ન ખાય) |
- ↑ +પોતાનો ભાઈ ગુજરેલો દસવરસ ઉપર.