આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩૫)
પ્રેમકોર : | એ તો આ વખતમાં ભાગ્યવાન થઈ ગયા, દીકરાને ઘેર દીકરા છે. એવી આડીવાડી મુકીને ગયા. એમનો શોગ હોય નહીં. |
હીરાચંદ : | પણ તારી કાકી રાંડી ખરી કે નહીં ? |
પ્રેમકોર : | તે તો શું કરે, ધણી દીકરા પહેલાં, ચુંદડી મોડિયે જઈએ એવાં તો ક્યાંથી નશિબ હોય ?
(ધણી જીવતાં જે સ્ત્રી મરે તેની લાશને ચુંદડી મોડીઓ ઓઢાડીને બાળવા લઈ જાય છે.) |
હીરાચંદ : | તારે ત્યાં કાણે જવું પડશે કે ?
(કોઈ સગું મરી જાય તેને ઘેર રોવા-કુટવા જવાનો ચાલ છે.) |
પ્રેમકોર : | હું, ને ઝવેરચંદ એક દહાડો કાણે જઈ આવીશું, તમે ઘેર રહેજો. |
પ્રકરણ ત્રીજું
મંછી : | તમારી કોટમાં શું રામનામા છે કે શ્રીનાથજીનાં પગલાં છે ? |
પટલાણી : | આ તો શોક્ય પગલુ છે. |
મંછી : | તમારે શોક્ય મરી ગઈ છે કે શું ? |
પટલાણી : | મારે બે શોક્ય મરી ગઈ છે ને હુંતો ત્રીજી છું. એક શોક્યપગલું ભાગી ગયું છે; તે ફરીથી કરાવવું છે. (જેટલી સોક્યો મરી ગઈ હોય તેટલાં શોક્યપગલાં કોટમાં રાખે છે કારણ કે તે ભૂત થાય તો નડે નહીં) |