આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૩)
(ઘોડીયું એટલે લૂગડાની ખોઈ, ને પારણું રસીથી ભરેલું હોય છે તે.) | |
પ્રેમકોર : | |
હીરાચંદ : | આવો મહારાજ, ક્યાંથી આવ્યા ? |
બ્રાહ્મણ : | ડભોડેથી મોતીચંદ સંઘવીના ખરચની કંકોતરી છે. |
હીરાચંદ : | મેલો કેમ મોકલ્યો નહોતો ? |
બ્રાહ્મણ : | કહ્યું કે શેઠના ઘરમાં કોઈને સ્નાન નહિ આવતું હોય તેથી, મેલો ન લખ્યો. |
હીરાચંદ : | લાવો જોઈએ કંકોતરી. |
બ્રાહ્મણ : | લ્યો.
શેઠ વાંચે છે. |
સ્વસ્તશ્રી અમદાવાદ મહાશુભસ્થાને પુજ્યારાધે, શેઠજી શ્રીપાંચ હીરાચંદ અમરચંદ, જોગ્ય એતાનશ્રી, ડભોડેથી લા. સંઘવી પાનાચંદ ઝવેરચંદના જુહાર વાંચજો. |