આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૪)
બીજું સંઘવી મોતીચંદ નહાનચંદનું ખરચ માહા વદી ૫ ગુરૂવારનું નીરધાર્યું છે, તે ઉપર સાથ સરવેને તેડીને વહેલા આવજો. તમો આવે રૂડુ દીસસે. સવંત ૧૯૧૨ ના માહા સુદ ૫. | |
પ્રેમકોર : | કંકોતરીમાં કંકુના છાંટા કેમ નથી ? |
હીરાચંદ : | ખરચની કકોતરીમાં કંકુ નહોય. |
બ્રાહ્મણ : | મને કહ્યું છે કે, શેઠને કહેવું કે જો નહીં આવો તો, અમારે તમારે પાણી પીવાનો વહેવાર રહેશે નહિ, ને માણસ પચાસ સાથે લાવજો. |
હીરાચંદ : | મારે ધોળેરે જવાનું આજ મુહુરત છે. |
બ્રાહ્મણ : | ધોળેરે જવાય નહીં. સગાનું કામ કાંઈ રોજ રોજ આવતું નથી. |
પ્રેમકોર : | તમારાથી ધોળેરે નહીં જવાય, ને ખરચે આવવું પડશે. |
હીરાચંદ : | ઠીક, પણ કે દહાડે ખરચ છે ? ઝવેરચંદ, કંકોતરી વાંચો જોઈએ. |
ઝવેરચંદ : | વાંચીને કહે છે, માહા સુદ ૫ લખી છે. |
હીરાચંદ : | આજ શી તથ થઈ ? |
ઝવેરચંદ : | આજ તો ૩ છે પણ પાંચમ કે દહાડે છે ? |
હીરાચંદ : | કોઈ ટીપણા વાળાને બોલાવો. પછી ટીપણાવાળા બ્રાહ્મણને બોલાવ્યો. |
હીરાચંદ : | મહારાજ, પાંચમ કે દહાડે છે ? |
ટીપણાવાળો બ્રાહ્મણ : | આજ ત્રીજ દસ ઘડી છે. તે ઉપરાંત |