આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮)
(અહીં પણ સુસ્તી ઘણી એમ જાણવું) | |
પ્રેમકોર : | (ચાકરને કહે છે) જા, કહીએ કે આવો. પછી પેલાં આવ્યાં; ને જોયું તો હીરાચંદ ઘરમાં બેઠા હતા; એટલે શરમ પામીને બહાર ઊભાં રહ્યાં; એટાલે પ્રમકોર શેઠાણીએ શેઠને કહ્યું કે,
(હીરાચંદની વહુમાં એટલી અકલ ના આવી કે શેઠ ઘરમાં બેઠા છે ને પેલાં શી રીતે આવશે.) |
પ્રેમકોર : | સાંભળો છો ? |
શેઠ : | શું કહે છે ?
(ઘણું કરીને પોતાની સ્ત્રીને માન આપીને બોલાવવાનો ચાલ નથી, માટે શું કહે છે એમ કહે છે પણ શું કહો છો, એમ નથી કહેતા) |
પ્રેમકોર : | ઊઠો ઊઠો,દોકાનમાં જઈને બેસો. માણકચંદના ઘરનાં મળવા આવ્યાં છે. તે બહાર ઊભાં થઈ રહ્યાં છે.
(શેઠ ઊઠીને બહાર ચાલતાં વળી પાછા વળીને બોલ્યા) |
શેઠ : | ઝવેરચંદ !
( દીકરાનું નામ લઈને પોતાની સ્ત્રીને બોલાવવાનો ચાલ છે) |
પ્રેમકોર : | શું કહો છો ? |
શેઠ : | માણકચંદ શેઠનો દીકરો સાથે આવ્યો હોય તો તેના હાથમાં શેર મિઠાઈ આપવી જોઈયે. |
પ્રેમકોર : | સારૂં આપીશું.
પછી શેઠ ગયા એટલે પેલાં ઘરમાં આવ્યાં |