આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮)
(અહીં પણ સુસ્તી ઘણી એમ જાણવું)
પ્રેમકોર : (ચાકરને કહે છે) જા, કહીએ કે આવો. પછી પેલાં આવ્યાં; ને જોયું તો હીરાચંદ ઘરમાં બેઠા હતા; એટલે શરમ પામીને બહાર ઊભાં રહ્યાં; એટાલે પ્રમકોર શેઠાણીએ શેઠને કહ્યું કે,

(હીરાચંદની વહુમાં એટલી અકલ ના આવી કે શેઠ ઘરમાં બેઠા છે ને પેલાં શી રીતે આવશે.)

પ્રેમકોર : સાંભળો છો ?
શેઠ : શું કહે છે ?

(ઘણું કરીને પોતાની સ્ત્રીને માન આપીને બોલાવવાનો ચાલ નથી, માટે શું કહે છે એમ કહે છે પણ શું કહો છો, એમ નથી કહેતા)

પ્રેમકોર : ઊઠો ઊઠો,દોકાનમાં જઈને બેસો. માણકચંદના ઘરનાં મળવા આવ્યાં છે. તે બહાર ઊભાં થઈ રહ્યાં છે.

(શેઠ ઊઠીને બહાર ચાલતાં વળી પાછા વળીને બોલ્યા)

શેઠ : ઝવેરચંદ !

( દીકરાનું નામ લઈને પોતાની સ્ત્રીને બોલાવવાનો ચાલ છે)

પ્રેમકોર : શું કહો છો ?
શેઠ : માણકચંદ શેઠનો દીકરો સાથે આવ્યો હોય તો તેના હાથમાં શેર મિઠાઈ આપવી જોઈયે.
પ્રેમકોર : સારૂં આપીશું.

પછી શેઠ ગયા એટલે પેલાં ઘરમાં આવ્યાં