આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાચકને બોધપ્રદ, આનંદપ્રદ, અને પ્રિય થઈ પડશે એમા કશી શંકા, રહેતી નથી.

'અતૃપ્તિ', 'કર્ત્તવ્ય', 'કસ્તૂરીમૃગને ' નાં જેવાં કાવ્યો, જે સરલતાથી અને સચોટતાથી ઉંચા કાવ્યત્વનો અાસ્વાદ આપી રહ્યાં છે, તે પ્રભુની બક્ષીસ વગરના લેખો ભાગ્યેજ મેળવી શકે છે, એમ સર્વ વાચકો અનુભવી શકશે.

આવાં કાવ્યોને આ સંગ્રહ વાચકોની પ્રિયતાને પામે અને રા. બેટાદકરને એવે સત્કાર મળો કે તેઓ કાવ્યલખાણને પોતાના જીવનનું એક મુખ્ય કર્તવ્ય ગણી શકે, એવી પ્રાર્થના છે,

તા. ૨૩-૮-૧૮
સાન્તાક્રુઝ
}
હિંમતલાલ ગણેશજી અંજારિયા