આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૪૦ )

<poem>

દેવી ! તારો જગત-જનને જો ન આધાર હોત, તો પ્રાણીને પળ પળ મહિં લેત ઝાલી કૃતાંત; દીસે સાચી અમ જીવનની એક તું દિવ્ય દોરી, સંસારીની સુખદ સરણિ, મેાહિની માત મીઠી !

ઝાંખી તારી ક્ષણ ક્ષણ વિષે સ્વાન્તને સદ્ય થાય, એ આલંબે પથ જગતને ના જરા એ જણાય; શ્રાંતાત્માને શ્રમ સ્મરણના નીરથી તું નિવારે, ને એ પંથે ગમન કરવા નવ્ય ઉત્સાહ આપે.