આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

"જ્યાં સ્નેહસાગર ઉરે ઉછળી રહે છે, "ત્યાં મૃત્યુનો ભય રહી પળ શું શકે છે ?

( શાર્દૂલવિક્રીડિત )

"જ્યાં છે જાગતી ચેતના હૃદયને કર્ત્તવ્યમાં પ્રેરતી, "વારંવાર વિવેક, સાવધપણું ને ભેદ દર્શાવતી; "ત્યાં મૃત્યુ સહજ સ્વરૂ૫ પ્રકટી નિત્યે ડરાવ્યાં કરે, "ભૂડાં ભૂત અનેક એ હૃદયને રોકી રડાવ્યાં કરે,

( મન્દાક્રાન્તા )

"કિંતુ એને નિજ બળ થકી પ્રેમ જો દે દબાવી, "ને દ્વારે સૈ પિહિત કરીને રૂધશે માર્ગ રોકી; "તે એ ચાળા સકળ વીસરી સ્તબ્ધ બેસે બિચારી, "ભેદાભાવે પ્રયણ વિલસે એકલે વિશ્વવ્યાપી.

( શાર્દૂલવિક્રીડિત )

"ખેલે કૈંક નિશાચરો તિમિરને ઉભા રહી આશ્રયે, "દેખી દિવ્ય દિનેશને ભયભર્યા સંતાઇ સર્વે જશે; "ઉગે સ્નેહ તણે સુરમ્ય સવિતા ને તેજ વર્ષી રહે, "ત્યાં સૌ સંસુતિના ભ્રમો હૃદયને છેડીસિધાવી જશે.

(વસંતતિલકા )

"જ્યાં આંતરે જગત વ્યક્ત જરા ન થાય, "ને જ્યાં અંહત્વ ઉરથી વીસરી જવાય;