આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫૮)

<poem>

કર્ત્તવ્ય જીવન તણાં બહુધા બજાવી, ને પાઠ સત્પ્રણયના અમને બતાવી, સંસારમાં ગમનની સરણિ સુધારી, સૂતાં કૃતાર્થ બની દિવ્ય નિકેત માંહિ.

વાત્સલ્યભાવ થકી આશીષ નિત્ય આપે, પીયૂષપૂર્ણ અમ ઉપર દૃષ્ટિ રાખે. એ ઈષ્ટનું મિલન જે અમને કરાવે, સંદેશ એ નિધનનો પ્રિય કાં ન લાગે ?