આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬૪) <poem>

સ્નેહે સિંચ્યું અમળ ઉર હા ! ભેદને કાં ન ભૂલે ! ને વાત્સલ્યે વિવશ બનતાં ટેક ના કેમ તૂટે ? મીઠું, મીઠું ! જરૂર જગમાં માતનું સ્વાન્ત મીઠું ! સૃષ્ટિમાં કે સુર-સદનમાં એ સમું કૈં ન દીઠું.

ભૂલાવે કે હૃદય-તલનું ગાઢ દેહાભિમાન તે એ દૈવી પરમપદ શો ભવ્ય વાત્સલ્યભાવઃ વંચી એને અમ ઉદર જો પૂરીએ પૂર્ણતાથી, તે સર્વાંશે અમર-રસ એ પોષશે પિંડ કયાંથી ?