આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદીન ગદ્યાવલિ, એ આર્ય નીતિ કદાપિ ડગી નથી, અનેક કસોટીમાંથી પાર ઉતરી ગઇ છે. આર્યવ એ રી. તેજ સચવાયું છે. આવું હોવાથી અહંભાવનાની ગાણુતાનાં પરિણામ ગુલામગીરી કે પરમન્નતિ તેમાંનું પરમેન્નતિરૂપ પરિણામજ આર્ય પ્રજાએ અનુભવ્યું છે એમ મારા માનવામાં છે. જગતમાં તે દુઃખી કહેવાઈ હશે, તેણે મહટાં પરાક્રમ પાછલાં પાંચ સે વર્ષમાં નહિ કર્યો હોય, તેને ઍહિકવૈભવ નહિ મળ્યો હોય, પણ તેણે પિતાનું પતાપણું સાચવવામાં, ત્રિકાલાબાધ સત્યરૂપ પોતાપણું સાચવવામાં, સર્વ સાચવ્યું છે. a આતો આર્ય પ્રજાના પતનના આરંભની કથા થઈ. પરંતુ પાશ્ચાત્ય સાથેના સંબંધથી શા શા ફેરફાર થયા છે એ વિષયની વાત હજી દૂર છે. બાહ્ય ઉપદ્રવમાં આવી વેતસી વૃત્તિ ધારણ કરી આર્ય પ્રજાએ જે આર્યત્વ સાચવ્યું તેને ઉદય મરેઠાઓએ કરવા માંડ્યો અને વાની જોતા તો સુનત દોત સાદી એ જયધ્વનિ હિમાલયથી કન્યાકુમારી સુધી એકવાર ભગવાઝંડાની ટોચે હર હર મહાદેવ ! કરતા ગાજી રહ્યા. પણ તે ક્ષણિક, અપાયુ, નિમૉલ્ય, શિથિલ, મૃતવત ! પાણિપતના મેદાનમાં ભગવો ઝંડો ભાગિર્દીમાં રોળાયો. મુસલમાનોએ આર્યવાજ ખરે બ્રશ તે દિવસે કર્યો. અરે ! આર્યત્વનેજ ખરે બ્રશ તે દિવસે કર્યો. અરે ! આર્યત્વને જ નહિ ભેગે પિતાને પણ ઘાણ વાળે. મરેઠા અને મુસલમાન, રજપુત અને મેગલ, સર્વની ભવ્ય કાતિનાં ખંડેર ઉપર બંગાળા ભણીથી નવાજ પ્રતાપનાં કિરણ ઝલકવા લાગ્યાંએ પ્રાચીન ભવ્યતાની રાખ ઉપર નવુજ તખ્ત ખડું થયું. રજપુ. તેને ફેસલાવી લેભાવી, મેગલાએ કહીં' કહીં ભ્રષ્ટ કર્યો, મરેઠાઓએ સ્વાર્થમય લૂટફાટમાં ઉદાર આયંત્વને ઝાંખ લગાડી, મુસલમાનોએ દીનની ઝનુનમાં આંધળા થઈ ગમે ત્યાં હાથ નાખી પશુવત વર્તનથી એબ વહોરી લીધી. એ ખીચડામાં દબાતું દબાતું પણ આર્યત્વ નિર્મલ ન થયું, જીવ્યું, પણ કંઠપ્રાણ થઈ રહ્યું. પશ્ચિમથી આવેલા નવા સહાયને ચરણે નમ્યું. આર્યવ નમ્યુ કે આર્ય પ્રજા નમી ? આને નિર્ણય કાણુ બતાવી શકે એમ છે ? આજ કાલ કરતાં સવા વર્ષ એ વાતને થઈ ગયાં, પશુ કાણુ કહી શકે કે આત્વ નમ્યું છે કે આર્ય પ્રજાનાં શરીર માત્રજ નમ્યાં છે ! સત્તાવનના સમયમાં તે સ્પષ્ટ જણાયું હતું કે શરીરજ નમ્યાં છે, પણ આયત્વ નમ્યું નથી; તે પછીની નીતિથી વળી નવા નવા ફેરફાર થયા છે—એ ખીચડામાંથી અમુક વાત અમુક પ્રકારે છે એમ કહી શકાવું અશક્યવત છે. જે વાત હજુ ઇતિહાસના પડદા ઉપર આવી નથી, જેની યોજના હજુ પડદા પાછળ થયાં જાય છે, તેના વિશે શું કહી શકાય ? આર્ય પ્રજા વિજયી થઈ પાશ્ચાત્ય લોકોને અત્રથી કાઢી મૂકે એ વાતને આ વિચાર નથી, એમાં લાભ પણ જણાતો નથી, જણાય તોયે શક્ય નથી, પરંતુ આ વિચારતે મુલનું જે અભેદ ભાવનામય આર્યત્વ અને આજ આપણા ઉપર સર્વ બલથી આ ક્રમણ કરતું ભેદભાવના મય પાશ્ચાત્ય તત્વ તેના સંધરુમાં કાણુ વિજય પામે છે તે વિષેના છે. આર્ય અંગરેજ થશે ? અંગરેજ આય થશે ? આર્યત્વ નિર્મુલ થઈ જશે ? કે સવને ઉ• લટું પોતાની અસર કરશે ? શું થશે ? જે થશે તેથી આર્યાવર્તની શી દશા થશે ? એ પ્રતે આ સ્થલે મનમાં રમી રહે છે. અત્યાર સુધી જે વિચાર આપણે આ વિષયમાં ચલાવ્યા તેમાં કેવલ ઉપેદ્દાત રૂ૫ ઘણા ભાગ લખાયો છે; તાદશ સંબંધને વિચાર કરવાને હવે પ્રાપ્ત થાય છે, ને યદ્યપિ એવા મહત કાર્ય માટે વિશાલ અનુભવ, તીક્ષ્ણ દીર્ધદશિતા, અને ઇતિહાસના અગાધ જ્ઞાન Gandhi Fleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yeelt olulal 26/50