આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮૪ સુદર્શન ગઘાવલિ, ષયનાઅનુબંધને અનુસાર તે વિષયને અધિક સ્પષ્ટ કરવાવિના બીજે છે નહિ, હાય નહિ, હોવો ઘટે નહિ. - બીજી પણ એક શંકા ઉઠશે. શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કર એ અવનકારને સિદ્ધિપ્રદ છે કે નહિ ? આ શંકાના સમાધાન પર એકમય હોવું અશકયવત છે. તથાપિ વિસરી જવું જોયતું નથી કે મહા લેખકેાના પ્રયાગ એજ એ શાસ્ત્રના પણ કારણરૂપ છે; એટલા ઉપરથીજ નિરપુરા: વય: એ સંસ્કૃત ઉક્તિ અને “ લાઈસન્સ ” ઈત્યાદિના પાશ્રાય વિચાર બે ઉદ્ભવ્યાં છે. અર્થાત સિદ્ધ મહાશયાના પ્રયાગ આગળ શાસ્ત્ર એક સમયે, અસિદ્ધ ગણાય તે પણ બાધ નથી; તથાપિ સૂમ અને વિશાલ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમ અનાદિ ઈતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ્ય નથી. આરંભમાં શાસ્ત્રદૃષ્ટિએ વર્તવું જ યોગ્ય છે, આવશ્યક છે, સંપૂર્ણ થવાયું હોય તે પછી યથારુચિ જવા. માં બાધ નથી. એમાં પણ બે વાત છે. વિષય માત્ર દિપ્રકારે રહેલા છે. સિદ્ધ અને કલ્પિત અથવા અનુભવ વિષય અને વિચારવિષય. જે જે સિદ્ધવિષય છે, તેમાં તે શાસ્ત્રની શુંખલાને વળગી રહેવાથી કશે લાભ નથી, ઉલટી હાનિ છે, સિદ્ધ વિષયની શૃંખલા તેડવાથીજ કપિલ, બુદ્ધ, શકર, ગેલીલીઆ, બેકન, કેન્ટ, આદિ અનેક મહાપુરુ થયા છે. કપિતવિષયમાં પણુ તેમ નથી થયું એમ નથી, પણ તેનાં શાસ્ત્રસંપ્રદાયને વળગી રહેવાથી વધારે લાભ છે. માધ કે ભારવિ કવિનાં કાવ્યને ભવભૂતિ કે કાલીદાસનાં કાવ્યસાથે, કે પાપ અથવા હા. યડનની રચનાને વર્યસ્વર્થ કે શેલીના તરંગસાથે સરખાવીએ તો તુરત એમ સિદ્ધ થાય કે શાસ્ત્રશુંખલા આવા વિષયમાં પણ લાભકારી નીવડી નથી. છતાં જ્યાં ક૯૫નામાત્રજ આપશુને રસ્તો બતાવવામાં સહાય છે, ત્યાં પૂર્વના અનુભવે સિદ્ધ કરેલા નિયમેને કેવલ અનાદર ઈષ્ટ નથી. એ અનાદરથીજ ઉત્તમતા સિદ્ધ થાય છે એમ જે સમજવું છે તે સમજણનાં પરિણામ તો આપણને નિત્ય અનુભવાય છે. જે પતંગવત લેખલીલા આપણી દષ્ટિ મર્યાદામાં પ્રતિસૂર્યોદયે ઉદય પામી એ અવિકૃત તેજસ્વીના નૈમિત્તિક અસ્તસમયે નિતાન્ત નાશ પામે છે તે એનું જ શોચનીય પરિણામ છે. કાવ્ય, તત્ત્વદર્શન, ઈત્યાદિ કલ્પનાપ્રભવ શાસ્ત્રમાં પ્રાચીન અનુભવ બહુ ઉપયુક્ત થાય છે, તોપણ તેનાજ દાસ થવાની ભલામણ, હું પોતે તો, લેખક કે અવલોકનકાર કેાઈને કરી શકતા નધી. એક ઉદાહરણથી વાત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું. લાક જાણે છે કે કાંઈ પણ ક૯પવું. ગોઠવવું, એ ક૯૫ના છે. ચાર પુરુષ, બે સ્ત્રી, અને બે ચાર ગીત, એટલે કપિત કથા, જેને કાદંબરી એ હાસ્યજનક નામથી તેઓ ઓળખે છે, તે થઈ ! આવી કથાઓનાં પાત્ર જુઓ, તેમની વૃત્તિ જુઓ, તો તમને હંમેશાં કોઈ પણ ગામના ગમે તેવા વિભાગમાં સહજમાં સવાર નજરે પડે. આવી રચનાથી શું લાભ છે ? એનાથી હૃદયમાં કયે વિસ્તાર વ્યાપવાનો છે. બુદ્ધિમાં શી શક્તિ ઉમેરાવાની છે, કે સંસારમાં ઉત્તમાધિકારી ગૃહસ્થપણું ઉદ્ભવવાનું છે ? એ વાત તે કલ્પના નથી પણ માત્ર રચના છે. તેમાંનાં પાત્ર ખરાં નથી, પણ ઉભાં કરેલાં છે, કપેલાં નથી. કલ્પનામાં કાંઇક દિવ્ય - ૧ સ્થલે કોઈને સહજ શંકા થાય કે સ્વભાવમાત્ર અથોત જેવું છે તેવું જ વર્ણન હોય તે શું નિરર્થક છે ? તેમાં બુદ્ધિશકિતની જરૂર નથી ? મારૂં મત એમ નથી કે તેમાં બુદ્ધિની જરૂર નથી કે તે વ્યર્થ છે. પણ તેમાંથી પણ એકત્ર કોઈ ઉચ્ચતર ભાવ ફેલાવ્યો ન હોય તો એ પ્રયાસ કેવલ ચર્વિતચર્વણુ હોઈ નિઃસાર છે. જેને અંગરેજીમાં “ રીલિસ્ટિક ” anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450