આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અચાવલાદુન, ટલુંજ નહિ. પણ જુદા જુદા ધર્મની સરખાવટ કરવાને જે નિષ્ફળ પ્રયત્ન આજ પર્યત શબ્દમાત્રના સાદૃશ્ય ઉપર ચાલતા હતા, તેને સફલ થવાનો માર્ગ પણ એ શબ્દગત અર્થના સાદશ્યથી સધાય છે, અને ધર્મમાત્ર એકજ સત્યનાં રૂપાન્તર છે એમ તેમાંથી જોઈએ તે કરતાં પણું વધારે પૂરાવાથી સિદ્ધ થાય છે, સમયજ્ઞમાં સૈમ નામના છોડને રસ પીવે અને હોમ તથા અમુક પશુને વધ કર એટલું જ આપણે અક્ષરમાત્રને અનુસરવાથી શીખ્યા. છીએ ૫ણુ ભાષણ કર્તાએ—અથવા થીઓસોફી એ–વૃક્ષનાં નામ જે જે ગૂઢ રૂપમાં વપરાયાં છે તેનું તત્ત્વ સમજાવી. પારસી ધર્મમાં પણ હોમની ક્રિયામાં જે રહસ્ય છે તે સરખાવી એમ બતાવ્યું છે કે સૈમ એ માણસના શરીરનું રૂપક છે અને તેમાં જે પશુત્તિ એ રૂપી કામ વાસના-છે તેના વધ કરવાના છે. વૃક્ષને રૂપકોમાં વાપર્યોના યથાર્થ ઉદાહરણરૂપે અશ્વત્થનું વર્ણન ભાષણુ કરનારે કહી બતાવ્યું હતું, જેનું સરહરયજ્ઞાન આ પત્રમાં આવી ગયેલી ભગવગીતાના ૧૫ મે અધ્યાય વાંચનારને યથાર્થ થયેલું હશેજ જાણી અત્ર ચર્ચા કરવી આવશ્યક નથી. વેદમાં સમ એ ચંદ્રની સંજ્ઞા છે, અને સેમના પાનનો વિધિ છે, તથા તેના હોમ છે, એ યોગરહસ્ય છે, અને બ્રહ્માંડમાંથી (મસ્તકમાંથી) ઝરતા ચંદ્રરસનું પાન યોગીઓ કરી જાણે છે. તથા નિરંતર ચંદ્રને સૂર્યમાં ને સૂર્યને ચંદ્રમાં હામી, મહા કુંભકમાં વિરમે છે; થીઆસાકીએ જગતના જ્ઞાનની વૃદ્ધિ માટે ઘણું કર્યું છે એમ કાણુ નહિ કહે ! ! ૧૧૮ એશ્લે ગુજરાતી ડિક્ષનેરીઃ–પ્રોફેસર કાવસજી સંજાના અને પ્રે. રૂસ્તમજી સેટનાના તંત્રીપણા નીચે આ એક વિપુલ કાશ રચવાનું કામ ચાલે છે. અંગરેજી શબ્દના ગૂજરાતી અર્થ આપવાના ઉદ્દેશ છે, અને એમ સમજાય છે કે આજકાલ ગૂજરાતી ભાષામાં નવીન વિચારાદિ પાશ્ચાત્ય રીતિ પ્રમાણે દર્શાવવામાં જે વિન નડે છે તે દૂર કરવાનો હેતુ છે. આ કાશ થયા પછી એક લાભ પણ થવો જોઇએ કે સર્વ વિદ્વાનોએ કાશમાના શબ્દો વાપરવા ન કર તેમ તેતે વિષયના અન્ય લેખ લખનારા વિદ્વાનોએ પણુ તેનેજ અનુષનુસરવું, કે પરિભાષાની એકતા સચવાવાથી વાચક વર્ગને તે વિષયનું સ્કુટજ્ઞાન થવામાં વાંધા આવે નહિ. આ ઘેટોળા અંગરેજી ભાષા જેવી ખેડાયલી ભાષામાંથી પણુ દૂર થઈ શક્યો નથી; Spirit, Idea, Mind, ઈત્યાદિ શદેશના અર્થ પ્રત્યેક લેખક પોત પોતાની પદ્ધતિ પ્રમાણે કરે છે; આપણી ગુજરાતી ભાષામાં જે આવા ઘેટાળા અટકાવવાનું સાધન મળી આવે તે આ કોશના રચનારાઓએ બહુ અગત્યનું કામ કર્યું ગણાય. હાલ આપણુ ગૂજરાતી ભાષામાં કાવ્ય ને નાટક કે વાર્તાના પુરતાની એટલી જરૂર નથી કે જેટલી તત્ત્વશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના લેખેની છે, પણ તે સારું સર્વમાન્ય પિરિભાષાનો નિર્ણય થવાની પૂણ અપેક્ષા છે. એ અપેક્ષા આ કાશથી સફલ થાય તે સારૂ તેના તંત્રીઓ આજ પર્યત થયેલા તે તે શિષ્ટ શાસ્ત્રીય પ્રથાને પૂર્ણ રીતે વિલો કરશે એમ આશા છે, નહિતો રા. અંબાલાલ કોશમાં Circular એટલે “ભ્રમણુપત્રિકા ” ઇત્યાદિ જે પર્યાય આપ્યા છે તેવું થવાથી વિદગને આદર પાત્ર થશે નહિ, ને આવા મહા આયાસ વ્યર્થ પ્રાય થશે. અમને પૂર્ણ આશા છે કે જે વિદ્વાનોનાં નામ સહાયવર્ગમાં લખ્યાં છે તે લક્ષપૂર્વક આવા મહતકાર્યમાં મંડયા રહેશે તો આ કાશ કોઈ પણ વિદ્વાનની આશાને નિષ્ફલ કરે તે નહિ થાય આટલી થોડી કીમતમાં આવે મોટો કારા આજ પર્યત થયે નથી, અને અમે સર્વથા એ કાર્યના પૂર્ણ વિજય ઇચ્છીએ છીએ, sanaal Feritace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50