આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


तद् विद्धि प्रणिपातेन परि प्रश्नेन सेवया ।
उपदेष्यंति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ।।

અર્થાત્ જ્ઞાની અને તત્ત્વદર્શિ પુરૂષોને પ્રણામ, પ્રશ્ન અને સેવા કરીને તે તત્ત્વજ્ઞાનને અને તત્ત્વદર્શનને તું સિદ્ધ કરજે.

બાધક વસ્તુસ્થિતિઓ અને કર્મોથી ઉપરામતા રૂ૫ વૈરાગ્ય અને સાધક વસ્તુસ્થિતિઓ તથા કર્મોના સેવનરૂપ અભ્યાસ આ બન્ને અતિ મહત્વની બાબતોમાં એ પ્રકારના સજ્જન સંગથી જે અસામાન્ય સહાય સહજે મળી આવે છે તે બીજી કોઈપણ રીતે મળવી કઠિન છે.

ઉપર જણાવી તેની પરાવસ્થાને ક્ષણ માત્ર પણ પ્રાપ્ત થનાર મનુષ્ય જે અડગ નિશ્ચયનો, જીવનમુક્તિનો અને કૃતકૃત્યતાનો ભાગી બની રહે છે, તેનો જિજ્ઞાસુને કાંઈ પણ ખ્યાલ આપવા માટે નીચલા બે શ્લોક ઠીક ઉપયોગી છે.

स्नानं तेन समस्ततीर्थ सलिले सर्वापि दत्तावनि-
र्यज्ञानां च कृतं सहस्रमखिला देवाश्च संपूजिताः ।

संसाराच समुद्धृताः स्वपितरस्त्रैलोक्यपूज्योप्यसौ
यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ।

અર્થાત્ જેનું મન બ્રહ્મચિંતન કરતે કરતે ક્ષણ માત્ર પણ તેમાં સ્થિરતાને પામે ( નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય ) તેણે સર્વ તીર્થમાં સ્નાન કર્યું; સંપૂર્ણ પૃથ્વીનું દાન કર્યું; હજાર યજ્ઞ કર્યા; સર્વ દેવતાઓનું પૂજન કર્યું; સંસારમાંથી પોતાના પિતૃઓના ઉદ્ધાર કર્યો; અને ત્રણે લોકમાં પૂજ્ય પણ તેજ પુરૂષ છે.