આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


"વર્ગો ફેબ્રુઆરીમાં શરૂ થયા અને જુન સુધી તે ચાલ્યા હતા. પણ તે દરમ્યાનમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે નીચેના એક મોટા હોલ અને તેની બહારની જગ્યા પણ ભાડે લેવી પડી હતી. દરરોજ સવારે અને ઘણુંખરૂં સાંજે વર્ગો ભરવામાં આવતા. કોઈ વખત રવિવારે પણ ભાષણો આપવામાં આવતાં. કેટલાકનું માત્ર ભાષણ સાંભળીને સમાધાન થતું નહોતું, તેમને માટે શંકા સમાધાનનો સમય પણ રાખવામાં આવો હતો. ”

હિંદના પ્રાચીન ઋષિઓની માફક સ્વામીજી ધનવાન અને સત્તાવાન અમેરિકનોને વેદાન્તનો બોધ કરી રહ્યા હતા. એ દેખાવ જોઈને કયા હિંદુનું હૃદય ઉછળે નહિ ? અમેરિકનોની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને તે આપવાને તેઓ તૈયાર પણ હતા, છતાં સ્વામીજી બોધને માટે એક પાઈ પણ લેતા ન હતા. ધર્મનો ઉપદેશ કંઇ પણ લીધા વગરજ કરવો જોઈએ; ધર્મ કાંઈ વેચવાની વસ્તુ નથી; એમ સ્વામીજી કહેતા. કેટલાક વર્તમાનપત્રોના ખબરપત્રીઓ અને માસિકોના અધિપતીઓ હિંદ વિષેની માહિતી મેળવવાને તેમની પાસે આવતા અને સ્વામીજીની પોતાની ખાસ ટેવો કયી કયી છે, તેમનો ધર્મ શું છે, પાશ્ચાત્ય સુધારા વિષે તેમનો શો અભિપ્રાય છે, ભવિષ્યમાં તે કેવું કાર્ય કરવા ધારે છે, તેમનો આહાર વિહાર કેવા પ્રકારનો છે, પૂર્વાશ્રમમાં તે કોણ હતા, શું કરતા હતા, હિંદુઓની રીતભાત કેવી હોય છે, હિંદની રાજદ્વારી સ્થિતિ કેવી છે, વગેરે અનેક પ્રશ્નો પૂછતા હતા. વળી દૂરનાં ગામોમાંથી સ્વામીજીને આમંત્રણ આવતાં અને ત્યાં ભાષણ આપવાને તે પગે ચાલીનેજ જતા.

કોઈ કોઈ વખત એક અઠવાડીઆમાં તેમને બાર કે ચૌદ ભાષણો આપવાં પડતાં. શારીરિક અને માનસિક શ્રમ પણ ઘણોજ વેઠવો