આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જાતનો સંકોચ પામ્યા વગર તે સ્વતંત્રપણે પોતાનું ભાષણ કરી રહ્યા હતા.

ધી લંડન ડેલી ક્રોનીકલે લખ્યું કેઃ– “હિંદુ સાધુ વિવેકાનંદ જેનું મુખ બુદ્ધને ઘણુંજ મળતું આવે છે તે આપણી વ્યાપારૂ વૃદ્ધિ, વિઘાતક લડાઈઓ અને ધાર્મિક અસહિષ્ણુતાને ધિક્કારી કહાડે છે અને જણાવે છે કે અનેકના ભોગવડે પ્રાપ્ત કરેલો આપણો સુધારો હિંદુઓને જોઇતો નથી.”

વેસ્ટમિનસ્ટર ગેઝેટનો ખબરપત્રી સ્વામીજીની પાસે આવ્યો અને તેણે તેમની મુલાકાત લીધી. તે ગેઝેટમાં તેના અધિપતિએ “લંડનમાં એક હિંદુ યોગી” એવા મથાળાથી એક લેખ આપ્યો હતો. તેમાં લખ્યું હતું કે,

“સ્વામી વિવેકાનંદ એક અતિ આકર્ષક વ્યક્તિ છે. તેમનો ચહેરો શાંત છે, અને તેના ઉપર માયાળુતા જણાઈ આવે છે. તેમનું મુખાર્વિંદ એક બાળકની માફક ઝળકી રહે છે. તેના ઉપર ઘણી સાદાઇ, પ્રમાણિકતા અને સરળતા નજરે આવે છે.”

વેસ્ટમીનસ્ટર ગેઝેટના ખબરપત્રીએ સ્વામીજીની જોડે ઘણા લાંબા વખત સુધી વાદવિવાદ કર્યો હતો. તે ખબરપત્રીએ સ્વામીજીના સઘળા વિચારો ગેઝેટમાં પ્રદર્શિત કર્યા અને અમેરિકામાં તેમણે મેળવેલી ફતેહનાં ભારે વખાણ કર્યા. સ્વામીજી વિષે લખતાં તેણે અંતમાં લખ્યું હતું કે, “શ્રેષ્ટ નૈસર્ગિક શક્તિવાળા તે મહા પુરૂષની પછી મેં રજા લીધી. તેમના જેવો પુરૂષ મેં ભાગ્યેજ જોયો હશે. તેમની મુલાકાતથી હું મારી જાતને ધન્ય ગણું છું.” ઉપરના લખાણથી એક સાધુ અને ઉપદેશક તરીકે વિવેકાનંદનું નામ આખા લંડનમાં પ્રસરી રહ્યું, અને હજારો મનુષ્યો તેમને જોવાને અને બોધ ગ્રહણ કરવાને તેમની પાસે આવવા લાગ્યાં.

સ્વામીજીના ચારિત્ર્યની અંગ્રેજ લોકો આટલી બધી પ્રશંસા કરે,