આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૯


વિસ્તૃત જીવનચરિત્ર હિમાલયમાં આવેલા અદ્વૈત આશ્રમમાંથી બહાર પાડ્યું. ગુર્જર પ્રજાને પણ તેમના વિસ્તૃત ચરિત્રનો લાભ આપવો એમ આ લેખકનો નિશ્ચય થવાથી ગુર્જરગિરામાં જીવનકથા લખવાનું કાર્ય આરંભાયું. સ્વામીજીના સિદ્ધાંતો સર્વ કોઈ તેમનાં ભાષણો દ્ધારા વાંચે છે પણ તેમના વિષે ગેરસમજુતી ઘણી વખત થાય છે એમ જાણી તેમના સિદ્ધાંતનું રહસ્ય તેમના જીવનના પ્રસંગોથી સ્પષ્ટ કરવાની આવશ્યકતા લેખકના ધ્યાનમાં હતી. આથી કરીને તેમની જીવનકથાનું રહસ્ય જનસમૂહથી સમજાય અને તેના ભાવ હૃદયમાં ઉતારાય એ હેતુ લક્ષમાં રાખીને આ પુસ્તકમાં દરેક બનાવ સરળ ભાષામાં વર્ણવવામાં આવ્યો છે અને બને તેટલા અધ્યયન અને મનનપૂર્વકજ આ જીવનકથામાંના પ્રસંગો અને બીજી હકીકતો આલેખવા યત્ન કર્યો છે.”

આ પુસ્તક કોઈપણ ગ્રંથનું સીધેસીધું ભાષાંતર નથી, પણ તે અનેક ગ્રંથોને આધારે એક મૂળ પુસ્તક તરિકેજ લખવામાં આવેલું છે.

આ કાર્ય હાથમાં ધર્યા પછી તેની પ્રસિદ્ધિ માટે “સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય”ના મંત્રી સ્વામી શ્રીઅખંડાનંદજીને પ્રાર્થના કરવામાં આવી અને તેમણે તેનો સ્વીકાર કર્યો, તેથી લેખક તેમનો આ સ્થળે આભાર માને છે. વળી અદ્વૈત આશ્રમ(હિમાલય)માંથી પ્રસિદ્ધ થયેલા અંગ્રેજી જીવનચરિત્રમાંથી કેટલાક બનાવો આ પુસ્તકમાં ભાવાર્થરૂપે લેવાને અદ્વૈત આશ્રમના પ્રમુખને અરજ કરતાં તેમણે કૃપા કરી તે પ્રમાણે કરવાની પરવાનગી તારીખ ૨૧-૮-૧૯૧૬ના પત્રથી આપેલી છે, તેથી તેમનો પણ અત્રે ઉપકાર માનવામાં આવે છે.

આ પુસ્તક રચવામાં લેખકે નીચેનાં અંગ્રેજી પુસ્તકોનો મુખ્ય આધાર લીધેલો છે.

Life of Swami Vivekanand, by his Eastern