આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઉખડીજ જવાના.”

માનપત્રનો ઉત્તર અપાઈ રહ્યા પછીથી સ્વામીજી ગોપાળલાલ સીલના બગીચામાં જવાને નીકળ્યા. સ્વામીજીએ પોતાને પગે જોડા પણ પહેર્યા નહોતા. તેમના શરીરપર એક લાંબો ભગવો ઝભ્ભો અને માથે ફેંટો હતો. લોકો એમને જોઇને રસ્તામાં ખુશાલીના પોકારા કરતા અને ટોળે ટોળાં એમની પાછળ ફરતાં.

જ્યાંસુધી સ્વામીજી કલકત્તામાં રહ્યા ત્યાંસુધી બંગાળા ઇલાકાના પુષ્કળ લોકો સ્વામીજીનાં દર્શન કરવા માટે આવતા અને તેમના તરફ ઘણો પૂજ્યભાવ દર્શાવતા. ધાર્મિક મહાન પુરૂષને માન આપવાનું તો માત્ર ભારતવાસીઓજ જાણે છે. યૂરોપ અને અમેરિકામાં રાજ્યનીતિજ્ઞ પુરૂષોને માન આપવામાં આવે છે અથવા તો ત્યાં મોટી મોટી લડાઈઓમાં બિચારા નિરપરાધિ મનુષ્યોને હણી વિજય પ્રાપ્ત કરી આવનારા સેનાપતિઓ પૂજાય છે; પણ ભારતવર્ષમાં તો રાગદ્વેષ, અશાંતિ અને નાસ્તિકતા રૂપી શત્રુઓ ઉપર જય મેળવનાર ધાર્મિક વીર પુરૂષને જે માન આપવામાં આવે છે, તેવું માન મેળવવાને બીજું કોઈ પણ ભાગ્યશાળી થતું નથી. ધાર્મિક બાબતોમાંજ હિંદુઓને વધારે રસ પડે છે. હિંદુઓ જેટલી ધર્મની દરકાર કરે છે તેટલી રાજ્યદ્વારી, સામાજીક કે આર્થિક બાબતની દરકાર કરતા નથી. સ્વામીજીને હિંદુઓના આધ્યાત્મિક વિચારોની શ્રેષ્ઠતા સાબીત કરી આપી ત્યારથીજ ઘણા હિંદવાસીઓ તેમનાં વ્યાખ્યાન અને લેખોના અભ્યાસક બની રહ્યા હતા. હવે તે મહાત્મા હિંદમાં પધારેલા છે એમ જાણીને હિંદના નાના અને મોટા, ગરીબ અને તવંગર, સર્વે મનુર્ષ્યોના આનંદ અને પ્રેમનો સુમાર રહ્યો ન હતો.

આલમ બજારના મઠમાં સ્વામીજી ઘણાઓની મુલાકાત લેતા અને ઘણાઓ જોડે પત્ર વ્યવહાર ચલાવતા. બાળ, વૃદ્ધ અને યુવાન