આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

શ્રીનગરથી હવે સર્વ મંડળી પાછી ફરી. સઘળા શિષ્યો અને ગુરૂભાઈઓ વગેરે પોતાને અનુકુળ પડે તેમ એકલા કે કોઇના સાથમાં કલકત્તે જઈ પહોંચ્યા. સ્વામીજી એકલાજ મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોવાથી પાછળથી કલકત્તે આવી પહોંચ્યા.

પ્રકરણ ૫૪ મું ― નવા મઠની સ્થાપના.

બેલુર મઠનું નવું મકાન બંધાઇને તૈયાર થઈ ગયેલું હોવાથી સ્વામીજી કલકત્તે આવ્યા એટલે તેની વાસ્તુપૂજા કરવામાં આવી. જુનો મઠ નીલામ્બર મુકરજીના બગીચામાં આવેલો હતો ત્યાં પૂજા અને ધ્યાન થઈ રહ્યા પછી એક મોટો વરઘોડો કહાડવામાં આવ્યો. જુના મઠથી નવા મઠ સુધી તે જવાનો હતો. વરઘોડામાં સ્વામીજી શ્રીરામકૃષ્ણની વિભૂતિને જમણા ખભા ઉપર લઈને ચાલતા હતા. તે વિભૂતિને નવા મઠમાં પધરાવવાને માટેજ એ વરઘોડો કહાડવામાં આવ્યો હતો. રસ્તામાં ચાલતે ચાલતે સ્વામીજી એક શિષ્યને કહેવા લાગ્યા કે જ્યાં સુધી શ્રીરામકૃષ્ણની પવિત્રતા અને દયાભાવ તેમના શિષ્યો ધારણ કરી રહેશે ત્યાં સુધી મઠમાં તેમની પોતાની હાજરી છે એમ સમજવું. મઠના નવા મકાનમાં શ્રીરામકૃષ્ણની વિભૂતિને પધરાવવાની ક્રિયા થઈ રહ્યા પછી સ્વામીજી મંડળીને કહેવા લાગ્યા “ઈશ્વરાવતાર શ્રીરામકૃષ્ણ તેમની હાજરીથી આ સ્થળને પવિત્ર કરે, તેને એક અપુર્વ પુણ્યક્ષેત્ર બનાવે, સર્વેના કલ્યાણને માટે આ સ્થાનને સર્વે ધર્મોની એકતા સ્થાપનારૂં કરી મૂકે, એમ તમે તમારા ખરા અંતઃકરણથી પ્રાર્થના કરો છો ?” સર્વેએ હા કહી અને સર્વે બંને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા.

થોડા દિવસ પછી સ્વામીજીએ મઠના નિયમો અને હેતુઓ