આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગ્રંથ સ્વીકાર.

ગ્રંથમાળાના “સંસારના સુખ” માં જણાવ્યા પછીથી નીચેનાં પુસ્તકોની પહોંચ આભાર સહિત સ્વીકારવામાં આવે છે. ખરીદવા ઈચ્છનારે આ સંસ્થાપર ન લખતાં પ્રસિદ્ધ કર્તાનેજ લખવું.

નંદનવનને આંગણે—યોજનાર હરિલાલ દ્વારકાદાસ સંઘવી, પ્રકાશક મહેતા ગુલાબચંદ વછરાજ મુ. અમરેલી. સોળપેજી પૃષ્ઠ ૧૪૦, ગ્લેજ કાગળ, સાદું પૂઠું. મૂલ્ય રૂ. ૧)

પાંડવગુપ્ત નિવાસ—અનુવાદક ઇશ્વરલાલ વીમાવાળા, પ્રકાશક નટવર એમ. વીમાવાળા મુ. સુરત. સોળપેજી પૃષ્ઠ ૯૬, ગ્લેજ કાગળ, સાદુ પૂઠું, મૂલ્ય રૂ. ૦ાાા

ડૉ. મહાદેવપ્રસાદનો અમેરિકાના પ્રવાસ અને ડૉ. કુહુનેનું રૂપ પરીક્ષા શાસ્ત્ર— પ્રકાશક ભોગીલાલ ત્રિકમલાલ વકીલ - અધિપતિ ‘ધન્વતરી’ મુ. વિસનગર. રોયલ સોળપેજી પૃષ્ઠ ૧૫૨, મૂલ્ય રૂ. ૧)

મારો જેલનો અનુભવ—લખનાર મહાત્મા ગાંધીજી, પ્રકાશક ઇશ્વરલાલ વીમાવાળા મુ. સુરત. રોયલ સાળપેજી પૃષ્ઠ ૧૧૨, રફ કાગળ, મૂલ્ય રૂ. ૦ાા

ભારતીય શિક્ષણનો ઇતિહાસ—લેખક અને પ્રકાશક-ચિમનલાલ માણેકલાલ જાની અને બાળકૃષ્ણ ચુનીલાલ જોશી મુ. વડોદરા. ક્રાઉન સોળપેજી પૃષ્ઠ ૨૦૮, ગ્લેજ કાગળ, બોર્ડ પટીનું પૂઠું, મૂલ્ય રૂ. ૧ા