આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
________________
અને માનતો હતો કે તે હોવી જોઈએ તે રીતે નિરૂપવાની અને ફરજ પડે છે. એનું કલામય અંત:કરણ એના બુદ્ધિવાદ કરતાં વધારે બિનચૂક સત્યવાદી છે; અને તેથી, આ નાટકમાં, જે સિદ્ધાન્તો પર એની ધાર્મિક વિવેકબુદ્ધિ શાપ વર્ષાવવા ઇચ્છતી હતી, તેને એની કલાત્મક વિવેકબુદ્ધિએ પૂરો ન્યાય આપવા ફરજ પાડી છે. તે એટલે સુધી કે તેથી વાચકનો સમભાવ ઊલટો એના પ્રતિપક્ષી પર ઢળી પડે છે. ૧૮