આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮: ત્રિશંકુ
 

પણ એ કોણ હશે?'

‘જો, તારા ! જેનો નોકરીધંધો સલામત હોય તેના મુખ ઉપર ચિંતા ન હોય, અગર તો પરણેલી સ્ત્રીઓના મુખ ઉપર.'

‘તને સ્ત્રીઓ પરણે એ નથી ગમતું શું?'

'એમ નહિ ! હું તો એટલું જ કહું છું કે લગ્ન કરેલી સ્ત્રીઓના મુખ ઉપર ચિંતા જ ન હોય.'

'કારણ ?'

‘પરણેલી સ્ત્રીઓએ મોટે ભાગે ચિંતા પતિને માથે નાખી દીધેલી જ હોય છે.'

'એટલે જ જો ને, કેવાં પરાધીન મુખ છે એ સ્ત્રીઓનાં ? એમનું હાસ્ય, એમનો આનંદ અને એમનો ઉત્સાહ પતિની માલિકીનો જાણે !... પણે પેલી રૂપાળી યુવતી બેઠી છે તેને જો. ! એ મીઠું હસે છે, છતાં એની પાસે બેઠેલા મુંજી પુરુષની મહેરબાની મેળવવા હસતી હોય એમ લાગે છે... હું એવા પતિને કદી ન પરણું.’ તારાએ અંગુલિનિર્દેશ કર્યા વગર પતિની કૃપા ઉપર અવલંબી રહેલાં લાગતાં બે-ત્રણ સ્ત્રીમુખ તરફ દર્શનનું ધ્યાન દોર્યું. દર્શને એ જોઈને કહ્યું :

‘તારા ! તને પરણનાર મળવો મુશ્કેલ છે.'

'કેમ ?' તારાએ પૂછ્યું.

'જેટલાએ પ્રયત્નો કર્યા એટલા નિષ્ફળ નીવડયા - કૉલેજના મિત્રોથી માંડી મોટા મોટા વકીલપુત્રો અને શેઠશાહુકારો સુધી.'

'બીજાઓના અનુભવથી વાત ન કરીશ.'

'એટલે ?'

'તેં હજી ક્યાં પ્રયત્ન કર્યો છે ?' તારાએ કહ્યું અને તેના મુખ ઉપર સહજ લાલી ફરી વળી. તારાની સામે જોયા વગર અને આસપાસના લોકોને પ્રેમની વાતોનો વહેમ પડે નહિ એ ઢબે દર્શને કહ્યું :

'મારો કશો વિશ્વાસ નહિ, તારા ! મારો પ્રયત્ન તારી આંખ સુધી કદાચ પહોંચ્યો નહિ હોય !'

‘જા જા હવે ! જુઠ્ઠો !'

‘તારી એક શર્ત પૂરી થાય તો પછી હું કદાચ એ પ્રયત્ન કરવાની હિંમત કરું.’ દર્શને કહ્યું.

‘શર્ત ? મારી શર્ત ? કઈ શર્ત ?'

'તેં એક વખત મને કહ્યું હતું ને કે ભાઈને જો હું ઘેર લાવું તો હું માગું