આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમય પૂર્વે જ પ્રથમ આવૃત્તિ લગભગ થઈ રહી હતી અને રા. ભેગીન્દ્રરાવ બીજી આવૃત્તિ છપાવવા માટે વિચાર કરતા હતા, ત્યાં મૃત્યુના પાશમાં એ જીવન ઝપટાઈ ગયું અને ઉષા- કાન્તની બીજી આવૃત્તિ પ્રગટ થવામાં વિલંબ થયે. આમ આજ અગીઆર વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ સ્વર્ગસ્થના પત્ની ગં. કૌમુદી બહેનની અનુજ્ઞાથી અમહે પ્રસિદ્ધિમાં મુકવાની જરૂર જોઈ છે અને આશા છે કે સ્વર્ગસ્થના આ પુસ્તકને તેને યોગ્ય આવકાર મળશે. શ્રી વિજ્યા દશમ, ૧૯૭૫. પ્રકાશક, મુંબાઈ