આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
વર્ણવ્યવસ્થા

વણ વ્યવસ્થા આગ્યને અર્થે આ બંધના જરૂરનાં હોય. પણ જે બ્રાહ્મણ શ્રદ્ધ ખાળાને અથવા જે શૂદ્ધ બ્રાહ્મણ બાળાને પરણે તે વધના લાપ નથી કરતા. પોતાના ધર્માંની બહાર પરવું એ જુદો જ સવાલ છે. એમાં પણુ જ્યાં સુધી સ્ત્રીપુરુષ દરેકને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ હોય ત્યાં સુધી એવા વિવાહસંબંધમાં હું નૈતિક દષ્ટિએ શેા વાંધા જોતા નથી. પણ હું નથી માનતા કે એવા વિવાહસબંધને પરિણામે શાંતિ સ્થપાય. શાંતિ સ્થપાયા પછી તે બંધાય ખરા. હિંદુમુસલમાનનાં દિલ જ્યાં સુધી ઊંચાં છે ત્યાં સુધી હિંદુમુસલમાન વિવાહસ બધાની હિમાયત કરવાના પ્રયત્નને પરિણામે હું આપત્તિ સિવાય બીજું કશું જોતો નથી. એવા સંબંધો અપવાદરૂપ સાંગામાં સુખદાયી નીવડે, એ તેને સાત્રિક બનાવવાની હિમાયત કરવા માટે કારણરૂપ ન જ ગણાય. હિંદુમુસલમાન વચ્ચે ભાણા- વહેવાર તો અત્યારે પણ મોટા પ્રમાણમાં ચાલે છે. પણ એથી પણ શાંતિમાં વધારે તો નથી જ થયા. મારી એ દૃઢ પ્રતીતિ છે. કેટીએટીવહેવારને કામી એકતા જોડે થી લેવાદેવા નથી. ક્લવનાં કારણ તે આર્થિક અને રાજકીય છે, અને તે જ તો દૂર કરવાનાં છે. યુરોપમાં રાટીએટીવહેવાર છે, છતાં યુરોપિયના માંમાંહે જેવા લડી મર્યા છે તેવા તે આપણે હિંદુમુસલમાન પ્રતિહાસમાં કદી લડ્યા નથી. આપણા જનસમૂહા તેા તટસ્થ જ રહેલા છે. · અસ્પૃશ્ય ’ એ એક જુદો વર્ગ છે——— હિંદુધને કપાળે ચોંટેલું લક છે. નાતો એ વિઘ્નરૂપ છે, પાપરૂપ નથી. અસ્પૃશ્યતા એ તે પાપ છે, ભયંકર અપરાધ છે, હિંદુધ જો એ મહાસને વેળાસર મારી નહિ નાખે તે તે હિંદુધને ખાસ જશે. ‘ અસ્પૃશ્યો’ હવે હિંદુધની બહાર ન જ ગણાવા જોઈ એ. તેઓ હિંદુસમાજના પ્રતિષ્ઠિત સભ્ય ગણાવા જોઈ એ, અને તેમના યુવા પ્રમાણે તે જે વહુને લાયક હોય તે વર્ષોંના તેઓ મનાવા જોઈ એ.