આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આવજો-આવજોની ઔપચારિક વિદાય પછી કીલો ઓરડીમાં પાછો આવ્યો ને નરોત્તમને ઉદ્દેશી પોકારી ઊઠ્યો:

‘એલા મોટા, તેં તો મોટી મોંકાણ ઊભી કરી !’

નરોત્તમ આ નાટક ઉપર હસતો રહ્યો ને કીલો બોલતો રહ્યો:

‘એલા તું તો મજરી કરવા ગયો ને મનસુખભાઈના ઘરમાં ઉંબાડિયું ઘાલતો આવ્યો !’

‘પણ એમાં હું શું કરું ?’ નરોત્તમે કહ્યું.

‘તેં તો ન કરવાનું હતું એ કરી નાખ્યું.’ કીલો બોલ્યો, ‘હવે તો આ કીલો છે ને મનસુખભાઈ છે !’

‘તે આ પાંચ રૂપિયા મને આપી દિયો ને !’ નરોત્તમે મજાકમાં માગણી કરી.

‘એલા, રૂપિયા એમ કંઈ રેઢા પડ્યા છે તે તને આપી દઉં ?’

‘તો તમે હવે શું કરશો ?’

‘તું મૂંગો મૂંગો જોયા કર મોટા, કે આ કિલો હવે શું કરે છે !’ કિલાએ આખરે ગર્વોક્તિ ઉચ્ચારી: ‘તેં હજી લગી મને ઓળખ્યો નહીં. હું કોણ ? કીલો કાંગસીવાળો !’

ગમે ત્યાંથી ગોતી કાઢો !
૨૭૭