આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ મારે આંગણે આવ્યા છો. તો હવે ઉંબરો નહીં વળોટવા દઉં… અમને તો કેદખાના જેવું થઈ પડ્યું છે.’

ઓતમચંદે અને કીલાએ સારી વાર સુધી આ શૈલીએ વાતચીત કર્યા કરી. લાડકોર એ કૃત્રિમ સંવાદની એકેક ઉક્તિ સાંભળતી હતી, ને એના મનમાં ગૂંચવણ વધતી જતી હતી. પણ કીલાની હાજરીમાં કશું પૂછવાનું એને યોગ્ય નહોતું લાગતું.

કીલાની વાતચીતો તો મોડે સુધી ચાલી. વાસ્તવમાં, લાડકોર અને બટુક ઊંઘી ગયા પછી જ ગંભી૨૫ણે ચર્ચાઓ જામી.

છેક પાછલી રાતે કીલા સાથે નરોત્તમે મોટા ભાઈની વિદાય લીધી.

બીજે દિવસે જસીનાં લગન હોવાથી ઈશ્વરિયેથી બાલુની જાન આવીને મેંગણીના પાદરમાં પડી.

કપૂરશેઠે હોંશે હોંશે જાનના સામૈયાની તૈયારી કરવા માંડી.

ગામનાં કુતૂહલપ્રિય તરુણો ‘જસીના વર’ને જોવા પાદરમાં પહોંચી ગયા.

‘ક્યાં છે વ૨૨ાજા? ક્યાં છે વ૨૨ાજા?’ કરતાં આ યુવક-યુવતીઓ પાદરમાં છૂટેલાં ગાડાંઓ વચ્ચે ઘૂમી વળ્યાં પણ ક્યાંય વ૨ાજાનાં દર્શન થયાં નહીં તેથી એમનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું. પૂછગાછ થવા લાગી તેમ તેમ જાનૈયાઓ ગુસ્સે થતા ગયા અને ગામલોકોને તતડાવવા લાગ્યા.

આખરે, લાંબી શોધખોળને અંતે એટલી ખબર પડી કે છેવાડે ઊભેલા એક બંધ માફાવાળા ગાડામાં વરરાજા બેઠા છે.

‘પણ તો પછી બહાર કેમ નથી નીકળતા?’

ઓળખીતાઓએ પૃચ્છા કરી: ‘બાલુભાઈ ગાડામાંથી હેઠા કેમ નથી ઊતરતા?’

પ્રાયશ્ચિત્ત
૪૩૫