આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૪૫

ગ્રહશાંતિ
 


પાદરમાંથી જ બાલુની જાનને પાછી વળાવી દીધા પછી કપૂરશેઠ સમક્ષ અત્યંત કપરો પ્રશ્ન ઊભો થયો: હવે શું કરવું ?

‘લીધેલાં લગન ખડી ગયાં !’

‘બાંધેલો માંડવો વીંખવો પડશે !’

‘અપશુકન ! અપશુકન !’

ડોસી શાસ્ત્રની દમદાટીઓથી કપૂરશેઠ ડરી ગયા.

‘ગ્રહશાંતિ કર્યા પછી કોઈનાં લગ્ન જ ન થાય તો ઘરમાં અશાંતિ થઈ જાય.’

દાપાં-દક્ષિણા સિવાય બીજા કશામાં રસ નહીં ધરાવનાર ગોર મહારાજ તો અનેક જાતની કપોલકલ્પિત ડરામણીઓ દેખાડવા લાગ્યા.

‘આ તો પાતક કહેવાય ! મહાપાતક !’

કપૂરશેઠે કહ્યું: ‘એ તમા૨ા મહાપાતક કરતાંય એક વધારે મોટા પાતકમાંથી ઊગરી ગયો છું, એટલો ભગવાનનો પાડ માનીએ ! મારી જસીની જિંદગી ધૂળધાણી થાતી રહી ગઈ, એટલા આપણે નસીબદાર, એમ સમજો ને !’

પણ દાપા-દક્ષિણા ગુમાવી બેઠેલા ગોર મહારાજ એમ સહેલાઈથી શાના સમજી જાય ? એમણે તો થોકબંધ શાસ્ત્રવચનો ટાંકવા માંડ્યાં. આ ઘર ઉ૫ર અનેક આપત્તિઓ આવી પડશે, એવી આગાહી કરી, છતાં કપૂરશેઠ ગભરાયા નહીં.

પણ જ્યારે ભુદેવે ધમકી આપી કે લગ્નમાં આવી પડેલા વિઘ્નને પરિણામે તમારા ઉપ૨ નવેનવ ગ્રહ કોપી ઊઠશે, ત્યારે

ગ્રહશાંતિ
૪૫૧